પ્રવીણ ગઢવી

Sunday, March 8, 2015

અમે




હા, તમારી વાત સાચી.
લોકો પણ ગરીબ હોય છે.

લોકના દળણાં દળે છે .
પાણી ભરે છે,
વાસણ માંજે છે,
રસોઈ રાંધે છે ,
ખેતરમાંખાણમાં
મિલમાંમશીનમાં
પસીનો પાડે છે .

પણ તેને મળે છે સ્નેહ-
અમને તિરસ્કાર ,
તેમને મળે છે આદર,
અમને અપમાન.
તેમને મળે છે દયા-
અમને ધિક્કાર.
તેઓ પાણિયારેથી પાણી પીએ છે ,
અમે ઊભા રહીએ છીએ
ઘરબહાર .
એમને મળે છે દાન,
અમને ભીખ.

હા,તમારી વાત સાચી-
લોકો પણ ગરીબ હોય છે.

પણ અમારો પ્રશ્ન જુદો છે.
ઇતિહાસમાં ક્યાંય એનો જોટો મળવો મુશ્કેલ છે.
અમે નથી કેવળ કાળા.
અમે નથી વિધર્મી.
અમે નથી કેવળ શ્રમજીવી.

અમે અમે છીએ
વેદકાળથી તિરસ્કાર સાથે અત્યાચાર સહેતી
વિશ્વની  એક માત્ર માનવ પશુજાતિ.

No comments:

Post a Comment